ભીષ્મ પિતામહના પાંચ ચમત્કારી તીર: મહાભારતની કથા

🎧 Listen in Audio
0:00

ભીષ્મ પિતામહના પાંચ ચમત્કારી તીર - મહાભારતની કથા Five Miraculous Arrows of Bhishma Pitamah - Story of Mahabharata

આ વાત એ સમયની છે, જ્યારે કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. પિતામહ ભીષ્મ કૌરવો તરફથી યુદ્ધ લડી રહ્યા હતા, પરંતુ કૌરવોના સૌથી મોટા ભાઈ દુર્યોધનને લાગતું હતું કે ભીષ્મ પિતામહ પાંડવોને નુકસાન પહોંચાડવા નથી માગતા. દુર્યોધનનું માનવું હતું કે પિતામહ ભીષ્મ ખૂબ શક્તિશાળી છે અને પાંડવોને મારવા તેમના માટે ખૂબ સરળ છે.

આ જ વિચારમાં ડૂબેલો દુર્યોધન, ભીષ્મ પિતામહ પાસે પહોંચ્યો. દુર્યોધને પિતામહને કહ્યું કે તમે પાંડવોને મારવા નથી માગતા, એટલે જ તમે કોઈ શક્તિશાળી હથિયારનો ઉપયોગ નથી કરી રહ્યા. દુર્યોધનની વાત સાંભળીને ભીષ્મ બોલ્યા, “જો તને એવું લાગતું હોય, તો હું કાલે જ પાંચેય પાંડવોને મારી નાખીશ. મારી પાસે પાંચ ચમત્કારી તીર છે,

જેનો ઉપયોગ હું કાલે યુદ્ધમાં કરીશ.” ભીષ્મ પિતામહની વાત સાંભળીને દુર્યોધન બોલ્યો, “મને તમારા પર વિશ્વાસ નથી, એટલે તમે આ પાંચેય ચમત્કારી તીર મને આપી દો. હું એને મારા રૂમમાં સુરક્ષિત રાખીશ.” ભીષ્મે તે પાંચેય તીર દુર્યોધનને આપી દીધા.

બીજી તરફ શ્રીકૃષ્ણને આ વાતની ખબર પડી ગઈ. તેમણે અર્જુનને આ વાતની જાણકારી આપી. અર્જુન આ સાંભળીને ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ મુસીબતથી કેવી રીતે બચવું. શ્રીકૃષ્ણે અર્જુનને યાદ અપાવ્યું કે એક વાર તેં દુર્યોધનને ગંધર્વોથી બચાવ્યો હતો, ત્યારે દુર્યોધને તને કહ્યું હતું કે આ અહેસાનના બદલામાં તું ભવિષ્યમાં મારી પાસેથી કંઈ પણ માગી શકે છે.

આ યોગ્ય સમય છે, તું દુર્યોધન પાસેથી તે પાંચ ચમત્કારિક તીર માગી લે. આ રીતે તારી અને તારા ભાઈઓની જાન બચી શકે છે. અર્જુનને શ્રીકૃષ્ણની સલાહ બિલકુલ સાચી લાગી. તેને દુર્યોધનનું આપેલું વચન યાદ આવી ગયું. એવું કહેવાય છે કે તે સમયે બધાં પોતપોતાના આપેલા વચન જરૂર નિભાવતા હતા. વચન તોડવું નિયમની વિરુદ્ધ માનવામાં આવતું હતું. અર્જુને જ્યારે દુર્યોધનને તેનું આપેલું વચન યાદ અપાવ્યું અને પાંચ તીર માગ્યા, તો દુર્યોધન ના ન પાડી શક્યો.

દુર્યોધને પોતાનું વચન નિભાવ્યું અને તે તીર અર્જુનને આપી દીધા. આ રીતે શ્રીકૃષ્ણે પોતાના ભક્ત પાંડવોની રક્ષા કરી.

Leave a comment