શનિદેવની પૂજા અને મંત્રોનો જાપ

🎧 Listen in Audio
0:00

શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવની પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભક્તો વિધિ-વિધાનથી તેમની પૂજા-અર્ચના કરે છે અને વ્રત રાખે છે. શનિદેવને કર્મોનું ફળ આપનાર દેવતા માનવામાં આવે છે. તેમના આશીર્વાદથી વ્યક્તિને ધન-સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે, જ્યારે તેમના રુષ્ટ થવાથી જીવનમાં અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, શનિદેવની કુદૃષ્ટિ પડવાથી વ્યક્તિને આર્થિક નુકસાન, માનસિક તણાવ અને નિષ્ફળતાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ભક્તો તેમની કૃપા મેળવવા માટે શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરે છે. આ દિવસે સરસિયાનું તેલ, નીલા ફૂલ, કાળા તલ અને ધૂપ-દીપ અર્પણ કરીને શનિદેવના મંત્રોનો જાપ કરવો ખાસ ફાયદાકારક માનવામાં આવે છે.

શનિદેવના મંત્ર

* બીજ મંત્ર
“ॐ પ્રાં પ્રીં પ્રૌં સः શનૈશ્ચરાય નમः”
આ મંત્રનો 108 વાર જાપ કરો.

* શનિ ગાયત્રી મંત્ર
“ॐ કૃષ્ણાંગાય વિદ્મહે રૌદ્રાય ધીમહિ તન્નો મંદઃ પ્રચોદયાત્”
આ મંત્રનો નિયમિત જાપ જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

* વૈદિક મંત્ર
“નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજમ્।
છાયામાર્તાંડસંભૂતં તં નમામિ શનૈશ્ચરમ્॥”

* ઊં શ્રાં શ્રીં શ્રૂં શનૈશ્ચારાય નમઃ।
ઊં હલૃશં શનિદેવાય નમઃ।
ઊં એં હલૃ શ્રીં શનૈશ્ચારાય નમઃ।

* અપરાધસહસ્ત્રાણી ક્રિયન્તેહર્નિશં મયા।
દાસોયમિતિમાંં મત્વા ક્ષમસ્વ પરમેશ્વર।।
ગતં પાપં ગતં દુઃખં ગતં દારિદ્ર્યમેવ ચ।
આગતાઃ સુખ-સંપત્તિ પુણ્યોહં તવ દર્શનાત્।।

શનિદેવની આરતી

જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી।
સૂર્ય પુત્ર પ્રભુ છાયા મહતારી॥
જય જય શ્રી શનિ દેવ।
શ્યામ અંગ વક્ર-દૃષ્ટિ ચતુર્ભુજા ધારી।
નીલાંબર ધાર નાથ ગજ કી અશ્વરી॥
જય જય શ્રી શનિ દેવ।
કીટ મુકુટ શીશ રાજિત દીપત હૈ લિલારી।
મુક્તન કી માળા ગળે શોભિત બલિહારી॥
જય જય શ્રી શનિ દેવ।
મોદક મિષ્ઠાન પાન ચઢત હૈ સુપારી।
લોહા તિલ તેલ ઉડદ મહિષી અતિ પ્યારી॥
જય જય શ્રી શનિ દેવ।
દેવ દનુજ ઋષિ મુનિ સુમિરત નર નારી।
વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈ તુમ્હારી॥
જય જય શ્રી શનિ દેવ।
જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી।

Leave a comment