શાહરુખે જણાવ્યું હતું કે, “હું દિલ્હીમાં મારા ઘરે સૂતો હતો. ત્યારે મને ‘દીવાના’નું ગીત ‘એસી દીવાનગી…’ સંભળાયું, જ્યારે હું ઉઠ્યો ત્યારે ખબર પડી કે દિવ્યા હવે આ દુનિયામાં નથી!”
જ્યારે ફિલ્મ ‘દીવાના’ ની ડબિંગ પછી હું સી રોક હોટલમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે દિવ્યા આવી રહી હતી. મેં તેને ‘હેલો’ કહ્યું તો તેણે મને કહ્યું, ‘તમે માત્ર એક સારા અભિનેતા જ નથી પણ એક સંપૂર્ણ સંસ્થા છો.’
આ ફિલ્મ દ્વારા તેમણે ૧૯૯૨માં ફિલ્મી દુનિયામાં પગલાં પાડ્યા હતા. સાથે જ આ ફિલ્મમાં કામ કરતી વખતે તેમને દિવ્યા ભારતી જેવી મિત્ર મળી હતી.
શાહરુખે દિવ્યા ભારતી સાથે કામ કર્યું હતું, ૫ એપ્રિલ ૧૯૯૩ના રોજ દિવ્યાના મૃત્યુના સમાચારે સમગ્ર બોલિવુડને હચમચાવી દીધું હતું.