ટીમ ઈન્ડિયા WTC ના ફાઇનલ મેચમાં શ્રેયસ અય્યર ઉપરાંત જસપ્રીત બુમરાહ અને ઋષભ પંત વગર રમશે. બુમરાહ સર્જરીના કારણે WTC ફાઇનલમાંથી બહાર થયા છે, જ્યારે પંત ગયા વર્ષે થયેલા કાર અકસ્માત બાદ લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે.
શ્રેયસ અય્યર ગયા દિવસોમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાને કારણે તેઓ સિરીઝના છેલ્લા ટેસ્ટમાં બેટિંગ કરવા ઉતર્યા ન હતા અને વનડે સિરીઝનો પણ ભાગ ન બની શક્યા હતા. ઈજાને કારણે તેઓ બેંગ્લોર સ્થિત NCAમાં રીહેબ કરાવી રહ્યા હતા.
ભારત તરફથી જૂનમાં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પણ તેઓ ભાગ લઈ શકશે નહીં. અય્યર પીઠની ઇન્જરીની સર્જરી કરાવશે અને વન-ડે વર્લ્ડ કપ પહેલાં પોતાને ફિટ કરવાનો પ્રયાસ કરશે.
પીઠની સર્જરી કરાવવાના કારણે; ગુજરાતે વિલિયમસનની જગ્યાએ દસુન શનાકાને સામેલ કર્યા છે.