ફ્રેન્ચાઈઝીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પર મંગળવારે જાહેરાત કરી કે, દુર્ભાગ્યવશ એડીની ઈજાને કારણે રજત પાટીદાર IPL 2023માંથી બહાર થઈ ગયા છે. અમે રજતના ઝડપી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ અને આ કપરા સમયમાં સમગ્ર ટીમ તેમની સાથે ઉભી છે. કોચ અને મેનેજમેન્ટ
ફ્રેન્ચાઈઝીને આ જમણા હાથના બેટ્સમેનના આ અઠવાડિયે ફિટ થવાની આશા હતી, પરંતુ એવું બન્યું નથી. આથી હવે બેંગ્લોરને પાટીદારના વિકલ્પ વિશે વિચારવું પડશે. અઝરુદ્દીન એક વિકલ્પ બની શકે છે, જોકે ફ્રેન્ચાઈઝીએ હજુ સુધી પાટીદારના વિકલ્પની જાહેરાત કરી નથી.
ઘૂંટણની ઈજાને કારણે, પાટીદાર આઈપીએલના ચાલુ સિઝનમાં રમી શકશે નહીં. તેઓ સારવાર માટે યુકે જશે અને ઓપરેશન કરાવશે. હાલમાં, નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ડોક્ટરોએ તેમને પૂરતો આરામ કરવાની સલાહ આપી છે.
હાલમાં NCAમાં રિહેબ કરી રહ્યા છે; ફ્રેન્ચાઇઝીને તેમના ફિટ થવાની આશા હતી.