કિરણના અવસાનની ખોટી ખબર વાયરલ થઈ

થોડા વર્ષો પહેલાં કિરણના અવસાનની ખોટી ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે અનુપમે એક નિવેદનમાં આ વાતનું ખંડન કરતાં કહ્યું હતું કે, 'કિરણના સ્વાસ્થ્યને લગતી જે પણ ખબરો ફેલાઈ રહી છે, તે બધી સંપૂર્ણપણે ખોટી છે.'

કિરણ ખેરને થયો હતો બ્લડ કેન્સર

કિરણ ખેરને બ્લડ કેન્સર (મલ્ટિપલ માયલોમા) થયું હોવાના સમાચાર ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ સામે આવ્યા હતા. ત્યારે અનુપમ ખેરે પુત્ર સિકંદર અને પોતાની તરફથી સત્તાવાર નિવેદન જાહેર કર્યું હતું.

ચાહકોએ વ્યક્ત કરી ચિંતા

કોરોનાની ખબર સામે આવતા જ ચાહકોએ સોશિયલ મીડિયા પર કિરણ માટે ચિંતા વ્યક્ત કરી. એક યુઝરે કમેન્ટ સેક્શનમાં લખ્યું - 'આપ જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાઓ.' બીજા એક યુઝરે લખ્યું - કિરણજી, પ્લીઝ આપ પોતાનું ધ્યાન સારી રીતે રાખજો.

અભિનેત્રી કિરણ ખેરને કોરોના

ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ બોલિવુડ અભિનેત્રી અને રાજકારણી કિરણ ખેર પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ખુદ કિરણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ વાતની જાણકારી આપી છે.

Next Story