Columbus

બાંગ્લાદેશ ગેરકાયદે ભારતીયોને પરત મોકલવાની તૈયારીમાં

મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું કે, બાંગ્લાદેશે ગેરકાયદે ભારતીયોના મુદ્દા પર ભારતને પહેલાથી જ પત્ર મોકલી દીધો છે અને આ બાબતમાં તૌહીદ હુસૈન અને ખલીલુર રહેમાન સતત રાજદ્વારી વાતચીત કરી રહ્યા છે.

Bangladesh: બાંગ્લાદેશ હવે ગેરકાયદે ભારતીય નાગરિકો અંગે કડક વલણ અપનાવી રહ્યું છે. દેશના ગૃહ મંત્રાલયના સલાહકાર લેફ્ટિનેન્ટ જનરલ (નિવૃત્ત) મોહમ્મદ જહાંગીર આલમ ચૌધરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જે ભારતીય નાગરિકો ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં રહે છે, તેમને ટૂંક સમયમાં યોગ્ય કાનૂની પ્રક્રિયા હેઠળ પરત મોકલવામાં આવશે. આ મુદ્દા પર બાંગ્લાદેશ સરકાર પહેલાથી જ ભારતને સત્તાવાર રીતે જાણ કરી ચૂકી છે.

રાજદ્વારી માધ્યમથી થશે સમાધાન

જહાંગીર આલમ ચૌધરીએ જણાવ્યું કે, બાંગ્લાદેશ ભારતની જેમ કોઈ દબાણની રાજનીતિ કરી રહ્યું નથી, પરંતુ કુટણીતિ દ્વારા સમાધાનનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશ હંમેશા આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને પ્રોટોકોલનું પાલન કરતું આવ્યું છે અને આગળ પણ આ જ નીતિ અપનાવવામાં આવશે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે આ સંદર્ભમાં ભારતને એક સત્તાવાર પત્ર પણ મોકલ્યો છે. આ મુદ્દા પર બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર તૌહીદ હુસૈન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રોહિંગ્યા બાબતોના મુખ્ય સલાહકારના પ્રતિનિધિ ખલીલુર રહેમાન ભારતના સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

ઘુસપેઠના પ્રયાસને જોખમ ગણાવ્યો

ગૃહ મંત્રાલયના સલાહકારે તાજેતરમાં બાંગ્લાદેશના સતખીરામાં ત્રીજી અસ્થાયી સરહદ ચોકીના ઉદ્ઘાટન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, ભારત તરફથી બ્રાહ્મણબારિયા સરહદ ક્ષેત્રમાં કેટલાક વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB), અંસાર બલ અને સ્થાનિક લોકોની સતર્કતાને કારણે આ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.

તેમણે કહ્યું કે, જો સ્થાનિક સમુદાય જાગૃત અને એકસૂત્ર રહેશે, તો આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકી શકાશે.

ભારતને કરી અપીલ – કાનૂની પ્રક્રિયા અપનાવે

ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે, બાંગ્લાદેશ ઈચ્છે છે કે, ભારત પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને કાનૂની પ્રક્રિયા હેઠળ જ ડિપોર્ટ કરે, નહીં કે તેમને સરહદ પાર ધકેલવાનો પ્રયાસ કરે. તેમણે કહ્યું, "અમે ભારતીય અધિકારીઓને વિનંતી કરી છે કે, ઘુસપેઠથી બચે અને ઔપચારિક પ્રત્યાવર્તન પ્રક્રિયા (formal deportation process) નું પાલન કરે."

ભારતમાં પણ ચાલી રહ્યો છે ગેરકાયદે પ્રવાસીઓ વિરુદ્ધ અભિયાન

ભારત પણ આજકાલ ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો, ખાસ કરીને બાંગ્લાદેશીઓ, વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યું છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોમાં પોલીસ દ્વારા ઓળખ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આવા નાગરિકોને પકડવામાં આવે તો જરૂરી કાનૂની પ્રક્રિયા પછી બાંગ્લાદેશ મોકલવામાં આવી રહ્યા છે.

Leave a comment