ઘટનાસ્થળ પાસે આવેલી ધર્મશાળામાં પટેલ સમાજના લોકો એકઠા થયા હતા

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તેમને મળવા પહોંચ્યા હતા. ત્યાં ભીડે હાહાકાર અને મુર્દાબાદના નારા લગાવ્યા હતા. આ દુર્ઘટનામાં પટેલ સમાજના ૧૧ લોકોના મૃત્યુ થયા છે.

શુક્રવારે સવારે બચાવ કાર્ય ફરી શરૂ

શુક્રવારે સવારે બચાવ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે. મંદરની દિવાલ અને બાવડીના સ્લેબ તોડવામાં આવી રહ્યા છે. સેનાએ પણ મોરચો સંભાળ્યો છે અને પ્રશાસનની અનેક ટીમો બચાવ કાર્યમાં જોડાયેલી છે. બાવડીમાંથી કાળા પાણી નીકળી રહ્યા છે, જેના કારણે ટીમોને મુશ્કેલીન

ઈન્દોરના બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિર દુર્ઘટનામાં ૩૫ના મોત

મૃતકોમાં ૨૧ મહિલાઓ અને ૧૪ પુરુષોનો સમાવેશ થાય છે. ૨૦થી વધુ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. મોડી રાત સુધી બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું. રાત્રે ૧૨ થી ૧.૩૦ વાગ્યાની વચ્ચે વધુ ૧૬ મૃતદેહો મળી આવ્યા હતા.

ઈન્દોર મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 35 મોત

બાવડીમાં બચાવ કાર્ય ચાલુ; મુખ્યમંત્રી શિવરાજના આગમન પર ભીડે ‘મુર્દાબાદ’ના નારા લગાવ્યા

Next Story