અફરીદીએ ગયા વર્ષે મે મહિનામાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટના વડા યાસીન મલિકના સમર્થનમાં પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું,
આ પહેલાં અફરીદી એક ચાહકને ત્રિરંગા પર સહી આપતા જોવા મળ્યા હતા. ત્યારબાદ તેમને ભારતીયોએ સોશ્યલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યા હતા.
મારું એક જ સિદ્ધાંત છે કે, જો દુનિયામાં ક્યાંક અન્યાયી વ્યક્તિ હોય અને ક્યાંક પીડિત વ્યક્તિ હોય, જેના પર અન્યાય થયો હોય, તે કોઈપણ ધર્મનો હોય, હું હંમેશા તેની વાત કરીશ.
કાશ્મીરના મુદ્દા પર નામ લીધા વગર તેમણે કહ્યું, 'જ્યાં જાલિમ હશે, ત્યાં હું તેમના વિરુદ્ધ અવાજ ઉઠાવીશ.'