શાકિબ 2019માં 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. હકીકતમાં, 2019માં સટ્ટાબાજ સાથે સંપર્ક કર્યા બાદ તેમણે તેની જાણ ન કરતાં ICCએ તેમના પર આ પ્રતિબંધ લગાવ્યો હતો. આ ઘટના શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણી દરમિયાન બની હતી.
શાકિબ અલ-હસન હાલમાં ઈંગ્લેન્ડ સામેની T-20 શ્રેણીમાં બાંગ્લાદેશ ટીમની કપ્તાની કરી રહ્યા છે. ૯ માર્ચના રોજ રમાયેલા પ્રથમ T-20 મુકાબલામાં બાંગ્લાદેશે T-20 અને વન-ડે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ૬ વિકેટથી પરાજય આપ્યો હતો.
શાકિબ અલ હસન પહેલાં પણ વિવાદોમાં ફસાયા છે. જૂન 2021માં ઢાકા પ્રીમિયર લીગમાં શાકિબે મેચ દરમિયાન અમ્પાયર પાસે અપીલ કરી હતી. અમ્પાયરે બેટ્સમેનને આઉટ ન કરતાં શાકિબે ગુસ્સામાં સ્ટમ્પ્સ પર લાત મારી હતી.
ઇવેન્ટ દરમિયાન સિક્યોરિટી વચ્ચે ફેનને માર માર્યો.