શિખર ધવન: તમામ ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ

ભારત તરફથી ૧૬૭ વનડે, ૩૪ ટેસ્ટ અને ૧૮ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકેલા શિખર ધવને ઓગસ્ટ ૨૦૨૪માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે.

સૌરભ તિવારી: 'નુવારા એલિયા કિંગ્સ'ના કેપ્ટન

IPLમાં 93 મેચ રમી ચૂકેલા સૌરભ તિવારી ભારત તરફથી 3 વન-ડે મેચ રમી ચૂક્યા છે. હવે તેઓ શ્રીલંકા T10 સુપર લીગમાં 'નુવારા એલિયા કિંગ્સ' ટીમના કેપ્ટન છે.

રિદ્ધીમાન સાહા: ક્રિકેટને અલવિદા

ભારત તરફથી ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમનાર વિકેટકીપર બેટ્સમેન રિદ્ધીમાન સાહાએ નવેમ્બર 2024માં ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે 40 ટેસ્ટ અને 9 વનડે મેચ રમી છે.

દિનેશ કાર્તિક: કમેન્ટ્રીમાં કરિયરની નવી દિશા

દિનેશ કાર્તિકે ૧લી જૂને પોતાના ૩૯મા જન્મદિવસે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. હવે તેઓ કમેન્ટ્રીમાં પોતાની નવી સફર શરૂ કરી ચૂક્યા છે અને પોતાના અવાજથી દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે.

વરુણ આરોન: લાલ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ

વરુણ આરોને, જેમણે ૨૦૧૧માં ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, ફેબ્રુઆરી ૨૦૨૪માં લાલ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.

સિદ્ધાર્થ કૌલ: SBIમાં નવી શરૂઆત

સિદ્ધાર્થ કૌલ, જેમણે 3 વન-ડે અને 3 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, એમણે 28 નવેમ્બરે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેઓ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી કરી રહ્યા છે.

કેદાર જાધવ: નિવૃત્તિની જાહેરાત

કેદાર જાધવએ આ વર્ષે જૂનમાં ક્રિકેટના બધા જ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે ૯ ટી-૨૦ અને ૭૩ વનડે મેચ રમી હતી અને આ નિર્ણય સાથે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે.

રવીન્દ્ર જાડેજા: 'સ્પિન કિંગ'નો ટી-20 થી નિવૃત્તિ

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ ટી-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. જાડેજાએ કુલ ૭૪ ટી-૨૦ મેચો રમી છે.

રોહિત શર્મા: ટી-20 થી વિદાય

ભારતના કપ્તાન રોહિત શર્માએ પણ વિરાટ કોહલી સાથે મળીને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેઓ ૧૫૯ ટી-૨૦ મેચોમાં ૪૨૩૧ રન બનાવીને ભારતના અગ્રણી ખેલાડી રહ્યા છે.

વિરાટ કોહલી: ટી-20 ક્રિકેટથી નિવૃત્તિ

વિશ્વ ક્રિકેટના 'કિંગ' વિરાટ કોહલીએ 2024ના ટી-20 વર્લ્ડ કપ પછી ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વિરાટે 125 ટી-20 મેચોમાં 4188 રન બનાવ્યા હતા.

૧૦ ભારતીય ક્રિકેટ ખેલાડીઓનો સમાપ્ત થયેલો કરિયર

વર્ષ ૨૦૨૪ ક્રિકેટના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક લાવ્યું, જ્યારે ઘણા દિગ્ગજ ભારતીય ક્રિકેટરોએ પોતાના કરિયરના નવા અધ્યાયની શરૂઆત કરી અને જૂના અધ્યાયનો અંત લાવ્યો.

Next Story